Top 20 Places to Visit in Ahmedabad, અમદાવાદમાં ફરવા લાયક જગ્યા, અમદાવાદ નજીક ફરવા લાયક સ્થળો, અમદાવાદમાં ફરવાના સ્થળો, અમદાવાદમાં જોવાલાયક સ્થળો, Best Tourist Places to Visit in Ahmedabad, Tourist Places to Visit in Ahmedabad with images
અમદાવાદમાં જોવાલાયક સ્થળો – Places to Visit in Ahmedabad
Places to visit in ahmedabad : આજે અમે તમને જણાવીશું અમદાવાદમાં તથા અમદાવાદથી નજીક આવેલા ફરવાના સ્થળો વિશે સંપૂર્ણ માહિતી. અમદાવાદ શહેરને હેરિટેજ સિટી નો દરજ્જો મળેલો છે. અમદાવાદ પ્રાચીન ઈમારતો, તળાવ, કૂવા, વાવ, મંદિર, આશ્રમ, કિલ્લો તથા દરવાજા વગેરેથી સમૃદ્ધ શહેર છે. તો ચાલો જાણીએ અમદાવાદના આધુનિક અને પ્રાચીન સ્થળો વિશે.
1. અટલ ફુટ ઓવર બ્રિજ | Atal foot over bridge
અમદાવાદ ની પહેચાનમાં વધુ એક યશ કલગી ઉમેરાઇ ગઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી પર એલિસ બ્રિજ તથા સરદાર બ્રિજ ની વચ્ચે 74 કરોડ ના ખર્ચે અટલ ફુટ ઓવર બ્રિજ તૈયાર કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં આ ફુટ બ્રિજને ખુલ્લો મુક્યો હતો. અમદાવાદીઓ માટે તે સેલ્ફી પોઇન્ટ તરીકે પણ ઓળખાય છે.
આ ફુટ ઓવર બ્રિજની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લેવામાં આવી હતી. આ ગ્લાસ ફુટ ઓવર બ્રિજ, સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે. આઇકોનીક બ્રિજ રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ સિમ્બોલ બનશે. આ બ્રિજ એક એન્જિનિયરિંગની અજાયબી તરીકે ખુબજ ઓળખાશે.
- લોકેશન : અટલ ફુટ ઓવર બ્રિજ, રિવર ફ્રન્ટ, અમદાવાદ
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 5 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 6 કિલો મીટર, એરપોર્ટ થી 9 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ : રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, રિવરફ્રન્ટ બાયોડાઇવર્સિટી પાર્ક, રિવરફ્રન્ટ ચિલ્ડ્રન પાર્ક, રિવરફ્રન્ટ માર્કેટ, ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક, શાહીબાગ રિવરફ્રન્ટ પાર્ક
- સમય : 6 AM to 10 PM
- કેટલો સમય જરૂરી છે : 2 કલાક
- પ્રવેશ ફી : 12 વર્ષથી 59 વર્ષની વયના મુલાકાતીઓએ 30 રૂપિયા ચૂકવવા પડે છે જ્યારે 12 વર્ષથી નીચેના બાળકો અને 60 વર્ષથી મોટી વયના વરિષ્ઠ નાગરિકો માટે ટિકિટની કિંમત 15 રૂપિયા છે.
2. સાબરમતી આશ્રમ (ગાંધી આશ્રમ) – Sabarmati Ashram (Gandhi Ashram)
સાબરમતી આશ્રમ(જેને ગાંધી આશ્રમ પણ કહેવામાં આવે છે). અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે સ્થિત છે. સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધીના ઘણા નિવાસ સ્થાનોમાંનું એક હતું. સાબરમતી આશ્રમ મુલાકાતીઓ ને મહાત્મા ગાંધીના જીવન અને સંઘર્ષની સમજ આપે છે.અહીં તમે ગાંધીજી વાપરતા હતા એ ચશ્મા, ચપ્પલ, કપડાં અને પુસ્તકો સહિત તેમની ઘણી અંગત વસ્તુઓ જોઈ શકો છો.અહીં એક આર્ટ ગેલેરી અને અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં લગભગ પાંત્રીસ હજાર પુસ્તકોવાળી એક લાઇબ્રરી છે. મહાત્મા ગાંધીના જીવન વિષે ના ઘણા બધા ચિત્રો અને પેઇન્ટિંગ છે.દાંડીયાત્રાની શરૂઆત પણ અહીંથી જ થઈ હતી. ગાંધીજીના જીવન વિશે બધી જ માહિતી મેળવવા માટે ગાંધી આશ્રમની મુલાકાત અવશ્ય લેવી જોઇએ.
- લોકેશન : સાબરમતી આશ્રમ, આશ્રમ રોડ, અમદાવાદ
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 9 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 7 કિલો મીટર, એરપોર્ટ થી 8 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ: વિનોબા કુટીર, મગન નિવાસ, ગાંધી મ્યુઝિયમ, ઉપાસના મંદિર, ઉદ્યોગ મંદિર, હૃદય કુંજ અને નંદિની
- સમય : 8 AM to 6.30 PM
- કેટલો સમય જરૂરી છે : 3-4 કલાક
- પ્રવેશ ફી : ફ્રી
- વધુ માહિતી માટે વેબસાઈટ વિઝીટ કરો : Gandhi Ashram Website
3. સાબરમતી રિવરફ્રન્ટ – Sabarmati Riverfront – places to visit in ahmedabad
સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદીઓ માટે એક પ્રખ્યાત ફરવાનું સ્થળ છે. આ પ્રોજેક્ટ આશરે સિત્તેર હેક્ટરમાં છે. સાયકલ ચલાવવા અને ચાલવા માટેનાં ટ્રેક્સ, પાર્ક અને બગીચા, માર્કેટ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ફૂટ ઓવર બ્રીજ જે હાલમાં બની રહ્યો છે વગેરે અહીંની મુખ્ય વિશેષતાઓ છે. રિવરફ્રન્ટ અનેક ગુજરાતી તેમજ બોલીવુડની ફિલ્મોમાં દર્શાવવામાં આવેલ છે. દર વર્ષે અહીં સાબરમતી મેરેથોન, સાબરમતી સાયક્લોથોન, ફ્લાવર શો,
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને એર શોઝ જેવી અનેક વાર્ષિક ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ ની અચૂક મુલાકાત લેવી.
- લોકેશન : રિવર ફ્રન્ટ, અમદાવાદ
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 5 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 6 કિલો મીટર, એરપોર્ટ થી 9 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ : રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, રિવરફ્રન્ટ બાયોડાઇવર્સિટી પાર્ક, રિવરફ્રન્ટ ચિલ્ડ્રન પાર્ક, રિવરફ્રન્ટ માર્કેટ, ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક, શાહીબાગ રિવરફ્રન્ટ પાર્ક
- સમય : 6 AM to 10 PM
- કેટલો સમય જરૂરી છે : 4-5 કલાક
- પ્રવેશ ફી : ફ્રી, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક અને અન્ય પ્રવૃત્તિઓ માટે અલગથી ફી હોય છે.
4. કાંકરિયા લેક – કાંકરિયા ઝૂ – Kankaria Lake – Kankaria Zoo – અમદાવાદમાં જોવાલાયક સ્થળો
કાંકરિયા ઘણી બધી મનોરંજન સુવિધાઓને કારણે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે ફરવા માટેનું એક લોકપ્રિય સ્થળ છે. ટોય ટ્રેન, કિડ્સ સિટી, બલૂન રાઇડ, માછલીઘર, ચગડોળ અને બીજી ઘણી બધી રાઈડ, બટરફ્લાય ગાર્ડન, વોટર પાર્ક, પ્રાણી સંગ્રહાલય, લેઝર શો, લાઇટિંગ, બોટ રાઈડ, ફૂડ સ્ટોલ્સ આટલી બધી મનોરંજનની સુવિધાઓના કારણે કાંકરિયા અમદાવાદના લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. બાળકો અને યુવાનો માટે તે સૌથી લોકપ્રિય સ્થળ છે. વહેલી સવારે અહીં લોકો જોગિંગ માટે પણ આવે છે.કાકરીયા ની અંદર તેમજ બહાર પણ તમને ખાવા-પીવાની ઘણી બધી સારી સારી વસ્તુઓ મળી રહેશે.અહીં કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં તમને વિવિધ પ્રકારના વન્ય પ્રાણીઓ તથા પક્ષીઓ જોવા મળશે બાળકોને આ સ્થળ ખૂબ જ પસંદ પડશે.
- લોકેશન : કાંકરિયા – મણિનગર, અમદાવાદ
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 3 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 4 કિલો મીટર, એરપોર્ટ થી 11 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ : બાલ વાટિકા, નગીના વાડી, ટોય ટ્રેન, કિડ્સ સિટી, બટરફ્લાય પાર્ક, કાંકરિયા કાર્નિવલ દર વર્ષે ડિસેમ્બરમાં યોજાય છે. પાંચ દિવસ માટે યોજાતો આ કાર્યક્રમ અમદાવાદમાં ખૂબ જ લોકપ્રિય છે.
- સમય : 9 AM to 10 PM
- પ્રાણીસંગ્રહાલય સમય : 9:00 AM to 6:15 PM
- કેટલો સમય જરૂરી છે : 5-6 કલાક
- પ્રવેશ ફી : પુખ્તવયના માટે ₹ 25, બાળકો માટે ₹ 10
5. વિન્ટેજ કાર સંગ્રહાલય – Vintage Car Museum – places to visit in ahmedabad
વિંટેજ કાર, બાઇક, બગીઓ અને યુટિલિટી વાહનોનો સૌથી મોટો વ્યક્તિગત સંગ્રહ અચૂક જોવો જોઈએ. અહીં 120 થી વધુ વિન્ટેજ કાર નો સંગ્રહ છે. સંગ્રહમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ – રોલ્સ રોયસ, બેન્ટલી, જગુઆર, કેડિલેક, મર્સિડીઝ, ઓસ્ટિન અને બીજી ઘણી કાર બ્રાન્ડ નો સમાવેશ થાય છે.પ્રણલાલ ભોગીલાલે 1922 માં તેમની 2200 એકરની ખાનગી મિલકત, દાસ્તાનમાં વિન્ટેજ કાર સંગ્રહાલય મ્યૂઝીમની શરૂઆત કરી અને વિશ્વના સૌથી મોટા ખાનગી ગેરેજના માલિક તરીકે 1987 માં ગિનીસ બુકમાં નોંધ કરી છે.વિન્ટેજ કરના ચાહકોએ અહીં જરૂરથી એકવાર મુલાકાત લેવી.
- લોકેશન : કઠવાડા, અમદાવાદ
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 13 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 12 કિલો મીટર, એરપોર્ટ થી 13 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ : રોલ્સ રોયસ, બેન્ટલી, જગુઆર, કેડિલેક, મર્સિડીઝ, ઓસ્ટિન
- સમય : 8 AM to 9 PM
- કેટલો સમય જરૂરી છે : 2-3 કલાક
- પ્રવેશ ફી : ₹ 50
6. સરખેજ રોજા – Sarkhej Roja
સરખેજ રોઝા એક સુંદર અને પ્રાચીન મસ્જિદ અને મઝાર સહિતની એક અત્યંત ઐતિહાસિક ઇમારત છે. સરખેજમાં પ્રાચીન સમયમાં એક પ્રભાવશાળી સૂફી સંત રહેતા હતા. તેમનું નામ શેખ અહમદ ગંજબક્ષ હતું. એ સમયે સરખેજ ભારતમાં સૂફી સંસ્કૃતિનું એક અગ્રણી કેન્દ્ર હતું. અમદાવાદનાં સુલતાન અહેમદ શાહે આ સૂફી સંત શેખ અહમદ ગંજબક્ષ ના સુચનથી જ સરખેજથી થોડાંક અંતરે સાબરમતી નદીને કિનારે પાટનગર અમદાવાદ નું નિર્માણ કર્યું હતું.અહીં ઘણી ફિલ્મો અને સિરિયલનું શૂટિંગ પણ કરવામાં આવેલ છે. આ પ્રાચીન સ્થળ ની જરૂર થી એકવાર મુલાકાત લેવી.
- લોકેશન : સરખેજ મકરબા રોડ, અમદાવાદ
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 10 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 11 કિલો મીટર, એરપોર્ટ થી 20 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ : કિંગ પેલેસ, રાણી પેલેસ, મસ્જિદ, અહમદ શેખ ગંજ બક્ષ સમાધિ, તળાવ, કિંગ્સ અને ક્વીન્સના સમાધિ, પેવેલિયન અને ખુલ્લું કોર્ટયાર્ડ
- સમય : 9 AM to 6 PM
- કેટલો સમય જરૂરી છે : 2-3 કલાક
- પ્રવેશ ફી : ફ્રી
**** આ પણ વાંચો ****
[ggWhatsappButton]
[ggTelegramButton]
7. અડાલજ વાવ (સ્ટેપવેલ) – Adalaj Vav (Adalaj Stepwell)
ગુજરાતમાં ઘણી બધી વાવ છે. દરેક વાવની અલગ-અલગ ખાસિયત છે. પ્રાચીન સમયમાં પાણીની જરૂરિયાતને પહોંચી વળવા રાજા-મહારાજા વાવ નું ચણતર કરાવતા હતા.અડાલજ સ્ટેપ વેલ ખૂબ પ્રખ્યાત છે. તે 1499 માં બનાવવામાં આવી હતી. પગથિયાના દરેક ફ્લોરમાં જટિલ રીતે કોતરવામાં આવેલા પ્લેટફોર્મ અને ગેલેરીઓ છે.
હિન્દુ પૌરાણિક કથાઓ આધારિત દરેક ફ્લોર પરના સ્તંભો પર દેવતાઓની કોતરણી આબેહૂબ રીતે કોતરવામાં આવી છે. ખૂબ જ પ્રાચીન વાવ તેની સુંદરતાને કારણે એકવાર અચૂક થી જોવા જેવી છે.
- લોકેશન : અડાલજ, અમદાવાદ
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 23 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 22 કિલો મીટર, એરપોર્ટ થી 14 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ : અડાલજ ની વાવમાં વાર્ષિક જળ મહોત્સવ દર નવેમ્બર મહિનામાં યોજાય છે.
- સમય : 6 AM to 7 PM
- કેટલો સમય જરૂરી છે : 2-3 કલાક
- પ્રવેશ ફી : ફ્રી
8.અક્ષરધામ ટેમ્પલ – Akshardham Temple – અમદાવાદમાં ફરવા લાયક જગ્યા
આર્કિટેક્ચરમાં હિન્દુ પૌરાણિક કથાના સારને જીવંત રાખીને જ્યારે સમકાલીન શૈલીના જોડાણની વાત આવે છે ત્યારે અક્ષરધામ મંદિર એક ઉત્તમ ઉદાહરણ છે.અક્ષરધામ મંદિર 23 એકર જગ્યાની મધ્યમાં સ્ટીલના ઉપયોગ વિના, છ હજાર ટન ગુલાબી પથ્થરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે.મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણ ની સોનાથી મઢેલી મૂર્તિ બિરાજમાન છે. અક્ષરધામ મંદિરમાં 97 કોતરણીવાળા સ્તંભો, 17 સુશોભિત ગુંબજ, 220 પથ્થરના બીમ, 57 પથ્થરની સ્ક્રીનો અને હિંદુ ધર્મમાં આધ્યાત્મિક વ્યક્તિત્વની 256 મૂર્તિઓ છે.મંદિર આકાશમાં 108 ફુટ સુધી પહોંચે છે, પહોળાઈ 131 ફુટ અને 240 ફૂટ લાંબું છે.
- લોકેશન : અક્ષરધામ ટેમ્પલ, ગાંધીનગર, અમદાવાદ
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 28 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 27 કિલો મીટર, એરપોર્ટ થી 20 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ :ગાર્ડન્સ, પ્રદર્શન, ફૂડ કોર્ટ, વોટર શો અને પુસ્તકાલય
- સમય : 10 AM to 7 PM
- કેટલો સમય જરૂરી છે : 4-5 કલાક
- પ્રવેશ ફી : ફ્રી, સંગ્રહાલય જોવા માટે અલગથી ફી આપવી પડે છે.
9. કેમ્પ હનુમાન મંદિર – Camp Hanuman Temple
અંગ્રેજોના સમયમાં, કેમ્પ હનુમાનજી મંદિર જલાલપોર ગામ હનુમાનજી મંદિર તરીકે જાણીતું હતું. એ સમયે અમદાવાદ શહેરમાં ગાયકવાડ હવેલી આર્મી કેન્ટ હતી. ત્યાંથી, અંગ્રેજોએ હનુમાન મંદિર નજીક સૈન્ય ક્વાર્ટરની સ્થાપના કરી. તેમની હોસ્પિટલ મંદિરની નજીક હતી.એક અંગ્રેજ અધિકારીએ મંદિરના પૂજારી પાસે મંદિરને સ્થળાંતરિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો. જો કે ભક્તો અને પૂજારીએ ના પાડી.હનુમાનજી મંદિરને તોડી પાડવાનો ઓર્ડર મળતાં લાખો કાળા અને પીળા ભમરાઓ મંદીરના રક્ષણ માટે દીવાલ ને ઘેરી વળ્યા. અંગ્રેજ અધિકારીએ એક અઠવાડિયા સુધી મજૂરો મોકલ્યા.જો કે ભમરી માત્ર મજૂરો પર હુમલો કરતી આ જોઈને, અંગ્રેજ અધિકારીએ અનિચ્છાપૂર્વક શ્રી હનુમાનજી દાદાના આ ચમત્કારને ધ્યાનમાં લેતા પોતાનો નિર્ણય બદલવો પડ્યો કે મંદિર અહીં જ રહેશે. કેમ્પ હનુમાન મંદિર સમગ્ર અમદાવાદમાં ખૂબ જ લોકપ્રિય છે.
- લોકેશન : શાહીબાગ, અમદાવાદ
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 6 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 5 કિલો મીટર, એરપોર્ટ થી 4 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ : કેમ્પ હનુમાન મંદિર
- સમય : 9 AM to 7 PM
- કેટલો સમય જરૂરી છે: 2 કલાક
- પ્રવેશ ફી : ફ્રી
10. બાલાજી મંદિર – Balaji Temple
શ્રી આન્દ્રા મહાસભા દ્વારા ગુજરાત અને આજુબાજુમાં રહેતા ભગવાન શ્રી બાલાજીના ભક્તોને, તિરૂમલા ભગવાનના નિવાસસ્થાનમાં કરવામાં આવતી સેવા અને પૂજાઓ પ્રદાન કરવા અને બતાવવા શ્રી વેંકટેશ્વરસ્વામી મંદિરનું નિર્માણ કરાયું હતું. મંદિર માટેની જમીન 2000 માં હસ્તગત કરવામાં આવી હતી. અને 2003 માં મંદિરના બાંધકામ માટે ભૂમિપૂજા કરવામાં આવી હતી.7 એપ્રિલ 2007 ના રોજ પ્રાણપ્રતિષ્ઠા પછી આ મંદિર લોકો માટે ખોલવામાં આવ્યું હતું. દરરોજની પ્રવૃત્તિઓ અને મંદિરને સુગમ રીતે ચલાવવા માટે, 2012 માં “શ્રી બાલાજી મંદિર ડેવલપમેન્ટ ટ્રસ્ટ” નામે સ્વતંત્ર ટ્રસ્ટની રચના કરવામાં આવી છે.
- લોકેશન : એસ.જી.હાઈવે, છારોડી, અમદાવાદ
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 26 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 25 કિલો મીટર, એરપોર્ટ થી 17 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ : બાલાજી મંદિર
- સમય : 7 AM to 7 PM
- કેટલો સમય જરૂરી છે : 2 કલાક
- પ્રવેશ ફી : ફ્રી
Places to Visit in Ahmedabad – From No. 11 to 20
11. વૈષ્ણોદેવી મંદિર – Vaishnodevi Temple
અમદાવાદમાં વૈષ્ણોદેવી મંદિર જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત મંદિરની પ્રતિકૃતિ છે. એ વૈષ્ણોદેવી સર્કલ તરીકે પણ ઓળખાય છે, વૈષ્ણોદેવી મંદિર પથ્થરમાંથી બનાવેલ છે.જમ્મુ-કાશ્મીરના કટરામાં વૈષ્ણોદેવી મંદિર ને ધ્યાનમાં રાખીને આબેહૂબ તેના જેવું જ મંદિર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સમગ્ર વર્ષ દરમ્યાન ઘણા બધા લોકો આ મંદિરની મુલાકાત લે છે સ્કૂલના પ્રવાસો પણ આખા વર્ષ દરમિયાન ચાલુ હોય છે.મોટા સહિત બાળકોને આ જગ્યા ખૂબ જ ગમશે.
- લોકેશન : એસ.જી.હાઈવે, વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદ
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 15 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 16 કિલો મીટર, એરપોર્ટ થી 15 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ : વૈષ્ણોદેવી મંદિર
- સમય : 6 AM to 7 PM
- કેટલો સમય જરૂરી છે : 2-3 કલાક
- પ્રવેશ ફી : ફ્રી
**** આ પણ વાંચો ****
- ગુજરાત સાયન્સ સિટી દ્વારા વિવિધ પદો માટે ભરતી અંગેની મહત્વની જાહેરાત
- ગુજરાત માં ફરવા માટેના ટોપ 10 સ્થળો
- અમદાવાદ ની બેસ્ટ રોમેન્ટિક,કેન્ડલ લાઇટ ડિનર રેસ્ટોરન્ટ
- દ્વારકા મંદિર ઇતિહાસ, જોવાલાયક સ્થળો
- સોમનાથ મંદિર નો ઇતિહાસ, જોવાલાયક સ્થળો
- સ્ટેચ્યુ ઓફ યુનિટી
- Top 10 બેસ્ટ સીએનજી કાર – 2021
12. ઇસ્કોન ટેમ્પલ – Iskcon Temple
આધ્યાત્મિકતા અને માનસિક આનંદનો અનુભવ કરવા માટે અહમદાબાદમાં ઇસ્કોન મંદિર શ્રેષ્ઠ સ્થળ છે.ઇસ્કોન મંદિરમાં તમને ગુજરાત અને રાજસ્થાનની મંદિરના સ્થાપત્યનો નમૂનો જોવા મળશે. ઇસ્કોન મંદિરમાં ત્યાંની આરતીનો લ્હાવો લેવા જેવો છે.તેનું શાંતિપૂર્ણ વાતાવરણ ધ્યાન માટે યોગ્ય સ્થળ પ્રદાન કરે છે. હરે કૃષ્ણ મંદિરની અંદર, હરે રામ હરે કૃષ્ણના જાપ હંમેશા સાંભળી શકાય છે.4-એકરના વિસ્તરેલા કેમ્પસમાં મંદિર, બગીચા અને સુંદર ફુવારાઓ છે. અનુયાયીઓ, દૈનિક જીવનને આધ્યાત્મિક બનાવવાની તકનીકો શીખવવા માટે સંસ્થાઓ, કોર્પોરેટ વગેરેમાં સત્રો યોજે છે.મંદિરની બાજુમાં એક શોપિંગ સ્ટોર પણ છે ત્યાંથી તમે ધાર્મિક અને આધ્યાત્મિક ઘણી બધી વસ્તુઓ જેમ કે પુસ્તકો,મૂર્તિઓ,પૂજા સામગ્રી અને બીજી ઘણી બધી વસ્તુઓ ખરીદી શકો છો.
- લોકેશન : એસ.જી.હાઈવે, ઇસ્કોન, અમદાવાદ
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 10 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 11 કિલો મીટર, એરપોર્ટ થી 17 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ : પ્રાર્થના રૂમમાં ધ્યાન અને સવાર-સાંજ આરતીઓ
- સમય : 4.30 AM to 1 PM, 4 PM to 9 PM
- કેટલો સમય જરૂરી છે : 2 કલાક
- પ્રવેશ ફી : ફ્રી
13. સીદી સૈયદ ની જાળી – Sidi Saiyyed Mosque
સીદી સૈયદની જાળી તરીકે પ્રખ્યાત આ મસ્જિદ જોવા અમદાવાદ આવતા લોકો અચૂક જાય છે. પીળા રેતીના પથ્થર પરની જાળી પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે.આ આઇકોનિક જાલીનો ઉપયોગ IIM, અમદાવાદના લોગોમાં પણ કરવામાં આવ્યો છે જે શહેર સાથે તેનું જોડાણ દર્શાવે છે. મસ્જિદ ખાસ કરીને તેની સુંદર દસ પથ્થર ની જાળી માટે પ્રખ્યાત છે. આ પ્રાચીન સ્થળ ની જરૂર થી એકવાર મુલાકાત લેવી.
- લોકેશન : ઘીકાટા, અમદાવાદ
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 3 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 3 કિલો મીટર, એરપોર્ટ થી 10 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ : જોડિયા જાળીઓ જે ઝાડની ડાળીઓની એકબીજા સાથે બંધાયેલ માળખા જેવી લાગે છે
- સમય : 7 AM to 6 PM
- કેટલો સમય જરૂરી છે : 1 કલાક
- પ્રવેશ ફી : ફ્રી
14. ભદ્ર ફોર્ટ – Bhadra Fort
લીલીછમ હરિયાળીની વચ્ચે સ્થિત 44 એકરનો વિશાળ કિલ્લો જોવાલાયક છે. 1411 માં અમદાવાદ શહેરના સ્થાપક, સુલતાન અહમદ શાહે ભદ્ર કિલ્લો બનાવ્યો હતો.અહીં ભદ્રકાલી માતાનું મંદિર છે અને તેમના નામ પરથી જ આ કિલ્લાનું નામ ભદ્ર કિલ્લો પડ્યું છે.સાબરમતી નદીના કાંઠે સ્થિત આ લાલ પથ્થરનો કિલ્લો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) અને ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ) દ્વારા 2014 માં આ કિલ્લા નું ફરી વખત નવીનીકરણ કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિવસ અને દેશના સ્વતંત્રતા દિવસ જેવા મહત્વના કાર્યક્રમો માટે ભદ્ર કિલ્લો પણ એક મહત્વપૂર્ણ સ્થળ છે.અમદાવાદમાં આ સ્થળ અચૂક જોવા જેવું છે.
- લોકેશન : ભદ્ર ફોર્ટ, અમદાવાદ
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 3 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 3 કિલો મીટર, એરપોર્ટ થી 10 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ : ત્રણ દરવાજા, ક્લોક ટાવર, રોયલ સ્ક્વેર, આઝમ ખાન સરાઈ
- સમય : 9 AM to 6 PM
- કેટલો સમય જરૂરી છે : 2-3 કલાક
- પ્રવેશ ફી : ફ્રી
15. હઠીસિંગ જૈન ટેમ્પલ – Hutheesing Jain Temple
હઠીસિંગ જૈન ટેમ્પલ જૈનોના પંદરમા તીર્થકર ધર્મનાથ ને સમર્પિત છે. આ બે માળનું સફેદ આરસનું આ મંદિર ખૂબ જ સુંદર છે. 1848 માં સ્થપાયેલ હઠીસિંગ જૈન ટેમ્પલ અમદાવાદનું એક ખૂબ જ માનનીય જૈન મંદિર છે.
બારડોલપુરાના શાહીબાગ રોડ પર સ્થિત, આ મંદિર , શરૂઆતમાં શેઠ હઠીસિંગ દ્વારા આ મંદિરનું સ્થાપન શરૂ કરવામાં આવ્યું બાદમાં તેમના પત્ની દ્વારા આ મંદિરનું કામ પૂરું કરવામાં આવ્યું છે તેમના નામ પરથી આ મંદિરનું નામ હઠીસિંગ જૈન ટેમ્પલ પડ્યું છે.સ્થાપત્યની દ્રષ્ટિએ આ મંદિર ખૂબ જ જોવાલાયક છે.
- લોકેશન : બારડોલપુરા, અમદાવાદ
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 3 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 3 કિલો મીટર, એરપોર્ટ થી 7 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ : એક વિશાળ આંગણું અને મંડપ જેનો મોટો ગુંબજ છે જેમાં બાર ભવ્ય સ્તંભો છે.
- સમય : 9 AM to 6 PM
- કેટલો સમય જરૂરી છે : 2 કલાક
- પ્રવેશ ફી : ફ્રી
16. સ્વામિનારાયણ ટેમ્પલ કાલુપુર – Swaminarayan Temple Kalupur
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર નારાયણ દેવને સમર્પિત એક મંદિર છે.
આ ભવ્ય મંદિર 1822 ની સાલમાં ભગવાન સ્વામિનારાયણની સૂચનાથી બનાવવામાં આવ્યું હતું, જે હિન્દુ ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા. આબેહૂબ રંગો અને જટિલ કોતરણીથી શણગારેલું, સ્વામિનારાયણ મંદિર એ ઓગણીસમી સદીના સ્થાપત્યનું એક અદભૂત ઉદાહરણ છે. આ મંદિર તેની સવારની આરતી માટે ખૂબ જ પ્રખ્યાત છે. મંદિર સંકુલમાં મુલાકાતીઓની સુવિધા માટે એક બહુમાળી ગેસ્ટહાઉસ અને એક તબીબી ક્લિનિક પણ છે.
- લોકેશન : સ્વામિનારાયણ મંદિર રોડ, કાલુપુર, અમદાવાદ,
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 3 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 2 કિલો મીટર, એરપોર્ટ થી 8 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ : નર નારાયણ મંદિર, અક્ષર ભવન, લાઇટ અને સાઉન્ડ શો
- સમય : 6 AM to 7 PM
- કેટલો સમય જરૂરી છે : 2 કલાક
- પ્રવેશ ફી : ફ્રી
17. દાદા હરી વાવ (બાઇ હરિર વાવ) – Dada Hari vav – Bai Harir Vav ( Stepwell )
દાદા હરી વાવ – બાઇ હરિર વાવ તરીકે પણ ઓળખાય છે. મેહમુદ બેગડા યુગ દરમિયાન સ્થાપવામાં આવેલ, રેતીના પત્થરમાં રચાયેલ આ વાવ સોલંકી શૈલીની સ્થાપત્યનો એક અદ્ભુત નમૂનો છે.આ વાવ સાત માળ ની છે.દાદા હરી વાવનું આખું માળખું ગુજરાતી ડિઝાઇન અને પથ્થરની જટિલ કલાત્મકતાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.આ વાવની મુલાકાત લેવા જેવી છે.
- લોકેશન : હરીપુરા, અસરવા, અમદાવાદ
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 4 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 3 કિલો મીટર, એરપોર્ટ થી 8 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ : દાદા હરી વાવ, બાઇ હરિર વાવ
- સમય : 10 AM to 7 PM
- કેટલો સમય જરૂરી છે : 2 કલાક
- પ્રવેશ ફી : ફ્રી
18. ઝૂલતા મિનારા – Jhulta Minar
અમદાવાદમાં સ્થિત, ઝૂલતા મિનારા રસપ્રદ સ્થાપત્ય અજાયબી છે. તે હજી પણ એક અવિશ્વસનીય રહસ્ય છે.
એક મિનારો થોડો હલે છે તો થોડી જ વારમાં બીજો મિનારો પણ એની મેળે હલે છે. જ્યારે કનેક્ટિંગ પેસેજ કોઈપણ હલનચલન અથવા કંપનોને પ્રસારિત કરતું નથી.ઘણા આર્કિટેક્ટ્સ અને ઇતિહાસકારોએ મીનારાઓની અસંબંધિત ગતિવિધિઓ પાછળ ભૌતિકશાસ્ત્ર અને તર્કશાસ્ત્રને સમજવાનો પ્રયાસ કર્યો છે.આ કારણે જ તેને ઝૂલતા મિનારા તરીકે ઓળખવામાં આવે છે.અમદાવાદમાં જાદુઈ મિનારા અચૂક જોવા જોઈએ.
- લોકેશન : લક્ષ્મીબજાર, અમદાવાદ
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 3 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 3 કિલો મીટર, એરપોર્ટ થી 10 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ : ઝૂલતા મિનારા નું આર્કીટેક્ચર
- સમય : 6 AM to 9 PM
- કેટલો સમય જરૂરી છે : 2 કલાક
- પ્રવેશ ફી : ફ્રી
19. ગુજરાત સાયન્સ સિટી – Gujarat Science City – અમદાવાદમાં ફરવા લાયક જગ્યા
ગુજરાત સાયન્સ સિટી એ ખાસ કરીને દેશના યુવાનોમાં સામાન્ય જાગૃતિ અને વૈજ્ઞાનિક અભિગમ ફેલાવવા ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલી એક નોંધપાત્ર પહેલ છે.107 હેક્ટર વિસ્તારમાં પથરાયેલા આ કેન્દ્રમાં વિદ્યાર્થીઓ માટે અવારનવાર વર્કશોપ પણ રાખવામાં આવે છે.કલ્પનાશકિતને ચમકાવતા પ્રદર્શનો, વર્ચુઅલ રિયાલિટી એક્ટિવિટી વગેરે અહીંના મુખ્ય આકર્ષણો છે. ગુજરાત સાયન્સ સિટી માત્ર વિજ્ઞાન પ્રેમીઓને જ નહીં, પણ આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાનની ભૂમિકાને સમજવામાં રસ ધરાવતા કોઈપણ માટે એક આકર્ષક અનુભવ પ્રદાન કરે છે.
- લોકેશન : સાયન્સ સિટી, એસજી હાઇવે, અમદાવાદ
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 12 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 11 કિલો મીટર, એરપોર્ટ થી 14 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ : 3 ડી આઇમેક્સ થિયેટર, એનર્જી પાર્ક, મ્યુઝિકલ ફુવારા, સિમ્યુલેટર, હોલ ઓફ સ્પેસ, ઇલેકોડ્રોમ, ગાર્ડન
- સમય : 10 AM to 7.30 PM
- કેટલો સમય જરૂરી છે : 2-3 કલાક
- પ્રવેશ ફી: પુખ્તવયના માટે ₹ 20, બાળકો માટે ₹ 10
20. કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમ – Calico Textile Museum
અમદાવાદના સૌથી પ્રાચીન સંગ્રહાલયોમાંના એક, તે દેશભરના દુર્લભ કાપડ અને કાપડ ની વસ્તુઓનો સંગ્રહ પ્રવાસીઓને આકર્ષે છે.આ સંગ્રહાલય ભારતના પૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ખોલવામાં આવ્યું હતું. વિવિધ વણાટ સામગ્રી, દેશના વિવિધ ભાગોથી ડિઝાઇનર અને રંગબેરંગી ફેબ્રિક અહીં તમને જોવા મળશે. કાપડ ઉપરાંત, સંગ્રહાલયમાં દક્ષિણ ભારતીય બ્રોન્ઝ આર્ટ, મંદિરના ઝુમ્મરો, ફર્નિચર, લઘુચિત્ર આર્ટવર્ક અને જૈન કલાકૃતિઓનું પ્રદર્શન પણ જોવા મળે છે.કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમમાં ગેલેરી વિભાગ અને એક પુસ્તકાલય પણ છે.
- લોકેશન : શાહીબાગ, અમદાવાદ
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 5 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 6 કિલો મીટર, એરપોર્ટ થી 5 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ : આદિજાતિ કલા સંગ્રહ
- સમય : 10 AM to 1 PM
- કેટલો સમય જરૂરી છે : 2 કલાક
- પ્રવેશ ફી : ફ્રી
21. ગાંધીનગર – Gandhinagar
ગુજરાતની રાજધાની ગાંધીનગર, અમદાવાદથી મુલાકાત માટે અચૂક જવું જોઈએ. હરણ પાર્ક, સરિતા ઉદ્યાન અને ચિલ્ડ્રન્સ પાર્કની મુલાકાત અચૂક લેવી જોઈએ. ઇન્દ્રોડા ડાયનાસોર અને ફોસિલ પાર્ક ખૂબ જ લોકપ્રિય છે. અહીં ડાયનોસર સ્ટેચ્યુ બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ઇન્દ્રોડા પાર્ક ખૂબ જ વિશાળ છે. એક દિવસ ફેમિલી પિકનિક માટે આ જગ્યા ખૂબ જ લોકપ્રિય છે. ગાંધીનગર શહેરના રસ્તાઓ, વિશાળ બગીચાઓ માટે ખૂબ જ લોકપ્રિય છે.
- લોકેશન : ગાંધીનગર, અમદાવાદ
- કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 27 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 26 કિલો મીટર, એરપોર્ટ થી 18 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.
- વિશેષ ઉલ્લેખ : ઇન્દ્રોડા પાર્ક, સરિતા ઉદ્યાન, ત્રિમંદીર, ફન વર્લ્ડ, મહુડી જૈન ટેમ્પલ, સંત સરોવર ડેમ
- સમય : 6 AM to 10 PM
- કેટલો સમય જરૂરી છે : 5-6 કલાક
- પ્રવેશ ફી : ફ્રી
અમદાવાદમાં ફરવા લાયક જગ્યા - આ અગત્ત્યની માહિતી તમને ગમી હોય તો બીજા લોકો, મિત્રો, ફેમિલિ સાથે જરૂર થી શેર કરો.
FAQ [વારંવાર પુછાતા અગત્યના પ્રશ્નો – Places to visit in Ahmedabad] :
Q. અમદાવાદ ફરવા જવાનો શ્રેષ્ઠ સમય ક્યારે છે?
Ans.
શિયાળા દરમિયાન એટલે કે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદની સફરનું આયોજન કરવું શ્રેષ્ઠ છે.
Q. અમદાવાદમાં ખરીદી કરવા માટેના સ્થળો કયા છે?
Ans.
1. લો ગાર્ડન 2. લાલ દરવાજા 3. ઢાલગરવાડ 4. સિંધી માર્કેટ 5. માણેક ચોક 6. સીજી રોડ 7. ત્રણ દરવાજા બજાર 8. ફર્નાન્ડિઝ બ્રિજ 9. ઘંટાકર્ણ મહાવીર માર્કેટ 10. અમદાવાદ વન મોલ
Q. અમદાવાદમાં કયા સ્ટ્રીટ ફુડ ફેમસ છે?
Ans.
માણેક ચોક, લૉ ગાર્ડન, એચ એલ કોલેજ, મ્યુનિસિપલ માર્કેટ – સીજી રોડ, દાસ ખમણ, અશરફી કુલ્ફી, અંબિકા દાલવડા, ઇસ્કોન ગાંઠિયા, ઈંદુબેન ખાખરા,અમ્ડો કિચન, ઓમ સાઈ પરાઠા, બેરા સમોસા સેન્ટર, ચા અને મસ્કાબન નેહરુનગર, રાયપુર ભજીયા હાઉસ, આસ્ટોડિયા જ્યુસ સેન્ટર, આસ્ટોડિયા ફાલુદા, નોનવેજ માટે – બગદાદ ફ્રાય સેન્ટર, ભઠીયાર ગલી
Q. અમદાવાદમાં કયા તહેવારો પ્રખ્યાત છે?
Ans.
મકરસંક્રાંતિ (14 જાન્યુઆરી), નવરાત્રીનો 9 દિવસીય મહોત્સવ (ઓક્ટોબર), કાંકરિયા કાર્નિવલ દર વર્ષે ક્રિસમસ પર, રિવરફ્રન્ટ ફ્લાવર શો શિયાળામાં, જગન્નાથ રથયાત્રા જુલાઈમાં
Q. અમદાવાદ શાના માટે પ્રખ્યાત છે?
Ans.
અમદાવાદ તહેવારો, સ્ટ્રીટ ફુડ, ઐતિહાસિક સ્થળો, કાપડ ઉદ્યોગ, ખરીદી કરવા માટે લો ગાર્ડન, લાલ દરવાજા, ઢાલગરવાડ ફેમસ છે.
Q. અમદાવાદમાં પ્રખ્યાત મીઠાઈ ક્યાં મળે છે?
Ans.
કંદોઈ ભોગીલાલ મૂળચંદ, વિપુલ દુધિયા, ગ્વાલિયા સ્વીટ, બિકાનેર વાલા, મોહનલાલ મીઠાઈવાલા – આ બધી જ મીઠાઈ શોપ ની અલગ-અલગ મીઠાઈ અમદાવાદમાં ફેમસ છે.
Q. રાત્રે અમદાવાદ સલામત છે? Is Ahmedabad safe at night?
Ans.
હા, તાજેતરમાં અમદાવાદને ભારતના સલામત શહેરોમાં સ્થાન અપાયું છે
Q. શું તમે અમદાવાદમાં દારૂ ખરીદી શકો છો?
Ans.
લાઇસન્સવાળા દારૂ વપરાશકારો અથવા મુસાફરો માટે અમદાવાદ હવે ડ્રાય સીટી નથી. તમે ખરીદી શકો છો.
Q. અમદાવાદની શ્રેષ્ઠ હોટેલ્સ કઇ છે?
Ans.
નવોટેલ અમદાવાદ, હયાત અમદાવાદ, ક્રાઉન પ્લાઝા અમદાવાદ, ડિસન બ્લુ હોટલ અમદાવાદ, કોર્ટયાર્ડ મેરીયટ અમદાવાદ હોટેલ્સ શ્રેષ્ઠ છે.
Q. અમદાવાદની શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ કઇ છે?
Ans.
રજવાડું રેસ્ટોરન્ટ, બાર્બેક્યુ નેશન, અગાશીએ, ગોરધન થાળ, જસ્સી દે પરાઠે, મેંગો રેસ્ટોરન્ટ, અમે ગુજરાતી, મોચા રેસ્ટોરન્ટ, 650 ગ્લોબલ કિચન, સંકલ્પ રેસ્ટોરન્ટ શ્રેષ્ઠ છે.
Places to Visit in Ahmedabad - આ અગત્ત્યની માહિતી તમને ગમી હોય તો બીજા લોકો, મિત્રો, ફેમિલિ સાથે જરૂર થી શેર કરો.
*** આ પણ વાંચો ***
- ગુજરાત સાયન્સ સિટી દ્વારા વિવિધ પદો માટે ભરતી અંગેની મહત્વની જાહેરાત
- અમદાવાદમાં 10 બેસ્ટ મીઠાઈ ની દુકાન
- અમદાવાદમાં 15 બેસ્ટ ગુજરાતી થાળી
- અમદાવાદ ની બેસ્ટ રોમેન્ટિક,કેન્ડલ લાઇટ ડિનર રેસ્ટોરન્ટ
- ગુજરાત માં ફરવા માટેના ટોપ 10 સ્થળો
- દ્વારકા મંદિર ઇતિહાસ, જોવાલાયક સ્થળો
- સોમનાથ મંદિર ઇતિહાસ, જોવાલાયક સ્થળો
- સ્ટેચ્યુ ઓફ યુનિટી
Gujarat na bija city vishe pan blog lakho.
Ahmedabad vishe aa khub Saras blog che. Thank you Very much green Gujarati.
🙏👍
ok. bija city vishe pan jaldi thi blog post karishu. thanks.
ha sure. maheshbahi